તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક આઈ પી ઓ સમીક્ષા (અરજી કરો)

Courtesy:  https://www.chittorgarh.com/

તમિલનાડ મર્કેન્ટાઇલ બેંક આઈ પી ઓ સમીક્ષા (અરજી કરો)

•ટી એમ બી એલ અખિલ ભારતીય નેટવર્કનું આયોજન કરતી દક્ષિણ પ્રદેશની સૌથી લોકપ્રિય બેંક છે.
• તેણે તેના કામકાજના વર્ષમાં સતત વૃદ્ધિ નોંધાવી છે અને તેના નેટવર્કના વિસ્તરણ પછી વધુ સારી સંભાવનાઓ માટે તૈયાર છે.
• નફો કરતી અને ડિવિડન્ડ ચૂકવતી બેંક હોવા છતાં તેની પાસે માત્ર ૧૦% રિટેલ ક્વોટા છે.
• જો ચુકાદો તેની વિરૂદ્ધમાં જાય તો પેન્ડિંગ કાનૂની બાબત તેની આઈ પી ઓ ની કાર્યવાહીને અસર કરી શકે છે.
• મધ્યમથી લાંબા ગાળાની સંભાવનાઓ માટે વ્યાજબી કિંમતના ઈશ્યૂને ધ્યાનમાં લઈ શકાય.

પ્રસ્તાવનાઃ
દક્ષિણ પ્રદેશની આ સૌથી લોકપ્રિય બેંકના આઈ પી ઓની છેલ્લા ૨-૩ વર્ષથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી. જો કે, તેણે સપ્ટેમ્બર ૨૦૨૧માં તેનું ડી આર એચ પી ફાઇલ કર્યું અને સેબીની મંજૂરી મેળવી. આરબીઆઈના નિર્દેશો મુજબ તે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ પહેલા સૂચિબદ્ધ થવાનું હતું, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે, તેમાં વિલંબ થયો અને આખરે હવે તે મૂડીબજારમાં આવી રહેલ છે. તે ૧૦૦ વર્ષ જૂની બેંક છે જેની શરૂઆતથી જ નફાના રેકોર્ડ છે. તે એક સારો નાણાકીય ટ્રેક રેકોર્ડ અને ભારે બુક વેલ્યુ ધરાવે છે. લિસ્ટિંગ માટે આરબીઆઈના નિર્દેશને કારણે, તેની શાખા વિસ્તરણ યોજના સ્થગિત હતી, પરંતુ એકવાર તે સૂચિબદ્ધ થયા પછી, તે તેના નેટવર્કને વિસ્તૃત કરશે. પબ્લિકલી હોલ્ડ બેંક હોવાને કારણે, જો કે તે પોસ્ટ આઈ પી ઓ ઇક્વિટી બેઝના માત્ર ૧૦% ડાયલુટ કરી રહી છે, તેને લિસ્ટિંગ પછી વધુ ઘટાડાની જરૂર રહેશે નહીં અને હાલના હિતધારકો પાસે આઈ પી ઓ શેરની ફાળવણીની તારીખથી છ મહિનાનો લોક-ઇન સમયગાળો હશે. જોકે ડી આર એચ પી મુજબ,ટી એમ બી એલ એ તાજા ઇક્વિટી ઇશ્યૂ તેમજ ‘ઓ એફ એસ’ની કોમ્બો ઓફરની યોજના બનાવી છે, ઇશ્યૂની સમયમર્યાદાને પહોંચી વળવા માટે ‘ઓ એફ એસ’ નો ભાગ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે અને બેંકે આ સંબંધમાં પહેલેથી જ કાનૂની ઔપચારિકતાઓનું પાલન કર્યું છે અને આ બાબત મુબઈ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. કોઈપણ પ્રતિકૂળ આદેશ, જો કોઈ હોય તો, સંબંધિત સત્તાવાળાઓ દ્વારા કોઈપણ અનુગામી સુનાવણીમાં પસાર કરવામાં આવે તો તે આઈ પી ઓ ની કાર્યવાહીને અસર કરી શકે છે.

કંપની વિશેઃ
તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક લિ. ( ટી એમ બી એલ) એ લગભગ ૧૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતી ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી જૂની અને અગ્રણી બેંકોમાંની એક છે (સ્રોતઃ ક્રિસિલ રિપોર્ટ). તે મુખ્યત્વે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (“એમ એસ એમ ઈ”), કૃષિ અને નાના ગ્રાહકો (“આર એ એમ”) માટે બેંકિંગ અને નાણાકીય સેવાઓની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે. તા.૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં, તેમની ૫૦૯ શાખાઓ હતી, જેમાંથી ૧૦૬ શાખાઓ ગ્રામીણ, ૨૪૭ અર્ધ-શહેરી, ૮૦ શહેરી અને ૭૬ મેટ્રોપોલિટન કેન્દ્રોમાં છે. ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં આ કંપનીનો એકંદર ગ્રાહક આધાર અંદાજે ૫.૦૮ મિલિયન છે અને ૪.૦૫ મિલિયન અથવા ૭૯.૭૮% ગ્રાહકો તેની સાથે પાંચ વર્ષથી વધુ સમયગાળા માટે સંકળાયેલા છે અને તેની થાપણોમાં રૂ.૩૫૦૧૪.૨૪ કરોડ અથવા ૭૭.૯૩% અને માર્ચ ૨૦૨૨ સુધીમાં એડવાન્સીસ પોર્ટફોલીયોમાંરૂ. ૨૧૯૦૨.૨૬ કરોડ અથવાં ૬૪.૯૦% માં યોગદાન આપ્યું છે.
ક્રીસીલના અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે ટી એમ બી એલ એ પીઅર્સમાં બીજા ક્રમે સૌથી વધુ ચોખ્ખો નફો મેળવ્યો હતો, અને નાણાકીય ૨૦૨૨ માટે પીઅર્સના સરેરાશ ૦.૮૦%ની સરખામણીમાં અસ્કયામતો પરનું વળતર પણ ૧.૬૬% વધારે હતું. તેને ૧૯૨૧મા ‘નાદર બેંક લિમિટેડ’ તરીકે સામેલ કરવામાં આવી હતી, અને નામ બદલીને વર્ષ ૧૯૬૨માં ‘તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક લિમિટેડ’ કરવામાં આવ્યું. તેને ૧૯૬૨માં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (“આર બી આઈ”) તરફથી બેંકિંગ વ્યવસાય ચાલુ રાખવા માટેનું લાયસન્સ મળ્યું. તેની સ્થાપના થઈ ત્યારથી, થૂથુકુડી, તમિલનાડુ તેનું હેડ હતું. ભારતમાં, તેણે ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં ૩૬૯ શાખાઓ અને ૯૪૯ ઓટોમેટેડ ટેલર મશીનો (“એ ટી એમ એસ”) અને ૨૫૫ કેશ રિસાયકલ મશીનો (“સી આર એમ એસ”) સાથે તમિલનાડુ રાજ્યમાં મજબૂત હાજરી બનાવી છે. આમ બેંક ગ્રાહકોને વધુ સારા અનુભવ સાથે સેવા આપવા માટે નવીનતમ તકનીકો સાથે જોડાયેલી છે.
તામિલનાડુ, ભારતનું ચોથું સૌથી મોટું રાજ્ય,એમ એસ એમ ઈ અને કાપડ ઉદ્યોગ પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને સૌથી ઝડપથી વિકસતા રાજ્યોમાંનું એક છે. વર્તમાન ભાવે તમિલનાડુનું ગ્રોસ સ્ટેટ વેલ્યુ એડેડ (“જી એસ વી એ”) નાણાકીય વર્ષ ૨૦૧૭ અને ૨૦૨૨ ની વચ્ચે ૧૧% ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (“સી એ જી આર”) થી વધ્યું હતું, જેની સામે દેશવ્યાપી ૯% વૃદ્ધિ હતી (સ્ત્રોતઃ ક્રીસીલ રિપોર્ટ). ક્રીસીલ ના અહેવાલ મુજબ, જીડીપીમાં રાજ્યવાર યોગદાનની દ્રષ્ટિએ તમિલનાડુ બીજા ક્રમે છે અને રાષ્ટ્રીય જીડીપી વૃદ્ધિ દરની તુલનામાં ઝડપી દરે વૃદ્ધિ પામી છે.
૩૧ માર્ચ, ૨૦૨૨ સુધીમાં, ટી એમ બી એલ પાસે પગારપત્રક પર ૪,૪૧૯ કર્મચારીઓ હતા અને અન્ય ૩૮ કર્મચારીઓ કરારના આધારે બેંક દ્વારા રોકાયેલા હતા.

મુદ્દાની વિગતો/મૂડીનો ઇતિહાસઃ
તેની ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેના ટિયર-૧ મૂડી આધારને વધારવા માટે તેની જરૂરિયાતને ભાગરૂપે ફાઇનાન્સ કરવા માટે,ટી એમ બી એલ બુક બિલ્ડીંગ રૂટ મારફતે તેનો રૂ.૧૦ની મૂળકિંમત ધરાવતા ૧૫૮૪૦૦૦૦ ઇક્વિટી શેરના પ્રથમ આઈ પી ઓ સાથે ઉપરના પ્રાઈઝ બેન્ડને આધારે રુ. ૮૩૧.૬૦ એકત્રિત કરવા મૂડી બજારમાં આવી રહેલ છે. આ કંપનીએ તેના આઈ પી ઓ માટે પ્રાઈઝ બેન્ડ રૂ. ૫૦૦ થી રૂ. ૫૨૫ પ્રતિ શેર રાખેલ છે.જાહેર ભરણા માટે આ ઈશ્યૂ તા. ૦પ સપ્ટેમ્બર, ર૦રર ના રોજ ખુલશે છે અને તા. ૦૭ સપ્ટેમ્બર, ર૦રર ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ર૮ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી, શેર બી એસ ઈ અને એન એસ ઈ પર સૂચિબદ્ધ થશે. આ ઈશ્યૂ કંપનીની ઇશ્યૂ પછીની ભરપાઈ થયેલ મૂડીના ૧૦ % હિસ્સો ધરાવશે.
સેબીની માર્ગદર્શિકાને અનુસરીને, બેંકે નફો કરતી અને ડિવિડન્ડ ચૂકવતી સંસ્થા હોવા છતાં કયુ આઈ બી માટે ૭૫%, એચ એન આઈ માટે ૧૫% અને નાના રોકાણકારો માટે ૧૦% ફાળવેલ છે.
આ ઈસ્યુના જોઈન્ટ બુક રનિંગ લીડ મેનેજર્સ (બી આર એલ એમ) એક્સિસ કેપિટલ લિ., મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સ લિ., અને સેબી કેપિટલ માર્કેટ્‌સ લિ. છે જ્યાર ેલીન્ક ઈનટાઈમ ઈન્ડિયા પ્રા. લિ. ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.
અત્યાર સુધી બેંકે સમાન ધોરણે સમગ્ર ઇક્વિટી જારી કર્યા છે, કંપનીએ ૧મે ૨૦૧૬માં દરેક ૨ શેર માટે ૫૦૦ શેરના ગુણોત્તરમાં બોનસ શેર પણ જારી કર્યા હતા.
ઇશ્યૂ પછી, આ કંપનીની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ.૧૪૨.૫૧ કરોડ છે જે વધીને રૂ. ૧૫૮.૩૫ કરોડ થશે.આઈ પી ઓ ઉપરની ની કિંમતના આધારે, કંપની ૮૩૧૩.૪૫ કરોડનું માર્કેટ કેપ નિહાળી રહી છે.

આર્થિક દેખાવ
આર્થિક દેખાવને મોરચે, છેલ્લા ત્રણ વર્ષમાં , આ કંપનીએ ટર્નઓવર / ચોખ્ખો નફો રૂ. ૩૯૯૨.૫૩ કરોડ / રૂ. ૪૬૪.૮૯ કરોડ (ના. વ. ૨૦), રૂ. ૪૨૫૩.૪૦ કરોડ / રૂ. ૬૫૪.૦૪ કરોડ (ના. વ. ૨૧) અને રૂ. ૪૬૫૬.૪૪ કરોડ / રૂ. ૯૦૧.૯૦ કરોડ(ના. વ. ૨૨)નોંધાવેલ છે. આમ, તેણે આટલા વર્ષોમાં તેની આવક અને નફામાં સતત વૃદ્ધિ નોંધાવી છે.
છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં આ બેંકે સરેરાશ શેર દીઠ આવક રૂ.૪૭.૭૨ અને સરેરાશ આર ઓ એન ડબલ્યુ ૧૩.૮૦ ટકા દર્શાવેલ છે.તા. ૩૧ માર્ચ, ર૦રરના એન એ વી રૂ.૩૭૪.૪૧ મુજબ આ ઈસ્યુનો ભાવ ૧.૪૦ ના પી/બીવીથી આવે છે,તેમ જ આઈ પી ઓ પછીની એન એ વી રૂ.૩૮૯.૪૭ના આધારે તેની કિંમત ૧.૩૫ ના પી/બીવી થી આવે છે.
માર્ચ ૩૧, ૨૦૨૨ સુધીમાં, ટી એમ બી એલ ના જી એન પી એ અને એનએન પી એ અન્ય પીઅર બેંકોના જી એન પી એ અને એનએન પી એ અનુક્રમે ૧.૮૧% થી ૫.૯૬% અને ૦.૬૮% થી ૨.૯૭% ની રેન્જ સામે સામે ૧.૬૯% અને ૦.૯૫% હતા.
જો આપણે ના. વ. ૨૨ ની કમાણીનું વાર્ષિકીકરણ કરીએ અને તેને આઈ પી ઓ પછીના કુલ ઈક્વીટીના આધારે વહેંચીએ , તો માગવામાં આવેલ કિંમત (ઉપરના પ્રાઈઝ બેન્ડ મુજબ) ૯.૨૨ના પી/ઈ પર આવે છે,

સમાન કંપનીઓ સાથે સરખામણી
ઓફર દસ્તાવેજો મુજબ, આ કંપનીએ સિટી યુનિયન બેંક, સી એસ બી બેંક, ડી સી બી બેંક, ફેડરલ બેંક, કર્ણાટક બેંક,આર બી એલ બેંક અને સાઉથ ઈન્ડિયન બેંકને તેના લિસ્ટેડ પીઅર તરીકે દર્શાવ્યા છે. તેઓ હાલમાં ૧૬.૩૧, ૬.૯૯, ૮.૩૫, ૧૧.૨૨, ૪.૫, ૧૨.૫૮ અને ૧૧.૩૩ (ઓગસ્ટ ટટ, ૨૦૨૨ મુજબ) ના પી/ઈ પર ટ્રેડિંગ કરી રહ્યાં છે. જો કે, તેઓે ખરેખર ચૂસ્ત તુલનાત્મક નથી.

ડિવિડન્ડ પોલિસીઃ
ટી એમ બી એલ એ ડિવિડન્ડ ચૂકવતી કંપની છે. તેણે ૩૨% (ના.વ.૨૦),૦ (ના.વ.૨૧), ૫૦% (ના.વ.૨૨) અને ૧૦૦% (ના.વ.૨૩ – ઓગસ્ટ ૨૬, ૨૦૨૨ સુધી) નું ડિવિડન્ડ ચૂકવ્યું. લિસ્ટિંગ પછી તે તેની નાણાકીય કામગીરી અને ભાવિ સંભાવનાઓના આધારે તેની સમજદાર ડિવિડન્ડ નીતિ ચાલુ રાખશે.

મર્ચંટ બેંકરનો દેખાવ
આ ઈસ્યુ સાથે સંકળાયેલા ત્રણ બી આર એલ એમએ પાછલા ત્રણ નાણાકીય વર્ષમાં ૪૮ જાહેર ઈસ્યનું સંચાલન કરેલ છે, જેમાંથી ુ લિસ્ટિંગ તારીખે ૨૦ ઈસ્યુ ઓફર પ્રાઈસથી નીચે બંધ થયા છે.

ખાસ નોંધ
મારો પરિવાર પહેલેથી ટી એમ બી એલ ના ૪૦૦ શેર ધરાવે છે જે લાંબા ગાળાના હોલ્ડિંગ માટે છે.

નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના
તમામ બાબતોમાં,ઓ એફ એસ સંબંધિત બાકી કાનૂની બાબતો સિવાય, આ ઈશ્યૂ વાજબી કિંમતનો છે અને ભવિષ્યની સારી સંભાવનાઓ ધરાવે છે. રૂઢિચુસ્ત હોવા છતાં, બેંકનો સ્થિર વૃદ્ધિનો ટ્રેક રેકોર્ડ અને સાઉન્ડ ફંડામેન્ટલ્સ મધ્યમથી લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યથી વ્યાજબી કિંમતના આ ઈશ્યૂને રોકાણ માટે ધ્યાનમાં લેવા માટે સારા સંકેત આપે છે.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the past, SME IPOs drew the attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. The above information is based on information available as on date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Courtesy:  https://www.chittorgarh.com/