મોનો ફાર્માકેર એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (અરજી કરી શકાય)

મોનો ફાર્માકેર એનએસઈ એસએમઈ આઈપીઓ પૃથ્થકરણ (અરજી કરી શકાય)

• એમપીએલ હાલમાં વિશાળ કંપનીઓના ફાર્મા ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટરશિપમાં છે.
• તેણે અહેવાલ કરેલા સમયગાળા માટે તેની ટોચ અને નીચેની લાઇનમાં વૃદ્ધિ દર્શાવી છે.
• ભાગીદારી પેઢીને ૧૭ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ પબ્લિક લિમિટેડ કંપનીમાં રૂપાંતરિત કરવામાં આવી હતી.
• ના. વ. ૨૩ નંબરના આધારે, આઈપીઓની કિંમત આક્રમક છે.
• સારી રીતે જાણકાર રોકાણકારો મધ્યમથી લાંબા ગાળાના વળતર માટે ફંડ પાર્ક કરી શકે છે.

કંપની વિશેઃ

મોનો ફાર્માકેર લિ. (એમપીએલ) કંપની કે જે મૂળ રીતે મે ૧૯૯૪માં “મોનો કેમિસ્ટ” નામ અને શૈલી દ્વારા ભાગીદારી પેઢી તરીકે રચવામાં આવી હતી, તે ૧૭ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ, ૧૦૦% ભાગીદારી સંપાદન પછી નવા મેનેજમેન્ટ દ્વારા(જુલાઈ ૨૦૧૯ માં)પબ્લિક લિમિટેડ કંપનીમાં રૂપાંતરિત થઈ હતી. તેના ઉત્પાદન પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા માટે,આ કંપનીએ ડિસેમ્બર ૨૦૨૨ માં માલિકીની કંપની ડીએલએસ એક્સપોર્ટ (નવા પ્રમોટરોની) પણ હસ્તગત કરી.

હાલમાં,આ કંપની ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના માર્કેટિંગના વ્યવસાયમાં રોકાયેલ છે અને તે વિવિધ ફાર્માસ્યુટિકલ કંપનીઓના વિતરક પણ છે. તે વિવિધ કોન્ટ્રાક્ટ ઉત્પાદકો સાથે કામ કરે છે જેઓ તેમના દ્વારા આપવામાં આવેલી કોમ્પોઝીશનના આધારે તેમના વતી ફાર્માસ્યુટિકલ ઉત્પાદોનું ઉત્પાદન કરે છે અને ત્યારબાદ, આ કંપનીતે ઉત્પાદનો “ડી એલ એસ એક્સપોર્ટ” બ્રાન્ડ હેઠળ વેચે છે.

૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધીમાં, તે ૧૬૮ ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે (વિતરકો અને સ્ટોકિસ્ટ તરીકે) વ્યવહાર કરી રહી છે અને તે ૩,૦૩૬ ગ્રાહકો/વિક્રેતાઓ સાથે પણ જોડાયેલ છે જે રિટેલ ફાર્મસી સ્ટોર્સ તેમજ જથ્થાબંધ વિક્રેતાઓનું મિશ્રણ છે. હાલમાં, તે માત્ર ગુજરાતના પશ્ચિમ વિસ્તારમાં, ખાસ કરીને અમદાવાદ શહેરમાં બંને બિઝનેસ સેગમેન્ટમાં બિઝનેસ કરે છે. અન્ય જૂથ ભાગીદારી/માલિકીની ચિંતાઓના એક્વિઝિશન સાથે, આ કંપની હાલમાં ફાર્મા/ન્યુટ્રાસ્યુટિકલ્સ/પર્સનલ કેર પ્રોડક્ટ્‌સના વ્યવસાયમાં છે. તા. ૩૧ જુલાઈ, ૨૦૨૩ સુધીમાં, તેના પગારપત્રક પર ૮૨ કર્મચારીઓ હતા.

મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, કંપની બી ર બી કેટેગરી હેઠળ માર્કેટિંગ અને ડિસ્ટ્રિબ્યુટરશિપ બિઝનેસમાં છે અને હાલમાં તેની પાસે કોઈ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નથી, પરંતુ તેની નજીકના ગાળામાં ઉત્પાદન પ્રવૃત્તિઓમાં પણ જવાની યોજના છે. માર્કેટિંગ માટે ઉત્પાદનોનો સંગ્રહ કરવા માટે તેની પાસે કેટલાક વ્યૂહાત્મક વેરહાઉસ છે. તૃતીય-પક્ષ ઉત્પાદનો ઉપરાંત, તે લગભગ ૧૨૦ ઉત્પાદનોના પોર્ટફોલિયો સાથે તેની પોતાની બ્રાન્ડ પણ વેચી રહી છે. તૃતીય-પક્ષ કરાર સાથે, કંપની એસેટ-લાઇટ બિઝનેસ વ્યૂહરચનાનું પાલન કરી રહી છે.

ઈશ્યૂની વિગત અને મૂડીનો ઈતિહાસ

આ કંપની મેઈડન આઈપીઓ સાથે બુક બિલ્ડીંગ રૂટ દ્વારા તેનો રૂ. ૧૦ નો એક એવા ૫૩૦૦૦૦૦ ઈક્વીટી શેર મૂડી બજારમાં આવી રહી છે. આ માટે તેણે પ્રતિ શેર રૂ. ર૬ થી રૂ. ર૮ના પ્રાઈઝબેન્ડની જાહેરાત કરી છે, અને તે દ્વારા અપરકેપના આધારે રૂ. ૧૪.૮૪ કરોડ એકત્રિત કરવા માગે છે.જાહેર ભરણા માટે આ ઈશ્યૂ તા.૨૮ ઑગષ્ટ , ર૦ર૩ ના રોજ ખુલશે છે અને તા.૩૦ ઑગષ્ટ, ર૦ર૩ ના રોજ બંધ થશે. ઓછામાં ઓછી અરજી ૪૦૦૦ શેર માટે અને તે પછી તેના ગુણાંકમાં કરી શકાશે. ફાળવણી પછી, શેર એન એસ ઈ એસ એમઈ પર સૂચિબદ્ધ થશે. ઇશ્યૂ કંપનીની પોસ્ટ-ઇશ્યૂ પેઇડ-અપ મૂડીના ૩૦ % હિસ્સો ધરાવે છે. આઈ પી ઓ ફંડની ચોખ્ખી આવકમાંથી, તે રૂ. ૮.૯૮ કરોડ કાર્યકારી મૂડી માટે, અને બાકીના સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ખર્ચશે.
બજાર નિર્માતા માટે ૨૭૬૦૦૦ ઇક્વિટી શેર આરક્ષિત કર્યા પછી, કંપનીએ કયુઆઈબી માટે ૧૦% થી વધુ, એચએનઆઈ માટે ૪૫% કરતા ઓછા નહીં અને નાના રોકાણકારો માટે ૪૫% કરતા ઓછા નહીં તેટલા શેર ફાળવ્યા છે.
યુનિસ્ટોન કેપિટલ પ્રા. લિ. એકમાત્ર લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસીસ પ્રા. લિ. ઇશ્યૂના રજિસ્ટ્રાર છે. રિખાવ સિક્યોરિટીઝ લિમિટેડ કંપની માટે બજાર નિર્માતા છે.
સમાન મૂલ્ય પર પ્રારંભિક ઇક્વિટી શેર જારી કર્યા પછી, કંપનીએ જાન્યુઆરી ૨૩ માં શેર દીઠ રૂ.૧૨ના ભાવે વધુ ઇક્વિટી શેરનું રૂપાંતર કર્યું, અને ફેબ્રુઆરી ૨૦૨૩ માં ૫,૨૭,૫૨૦ બોનસ શેર (હોલ્ડ કરેલા દરેક ૧ શેર માટે ૦.૦૫૫૫ શેરનો આશરે ગુણોત્તર) પણ જારી કર્યા છે. પ્રમોટરો દ્વારા શેરના સંપાદનની સરેરાશ કિંમત રૂ. ૯.૪૭, અને રૂ. ૧૦.૭૩ પ્રતિ શેર.
આઈપીઓ પછી, આ કંપનીની વર્તમાન પેઇડ-અપ ઇક્વિટી મૂડી રૂ.૧૨.૩૭ કરોડ વધારીને રૂ. ૧૭.૬૭ કરોડ થશે. આઈ પી ઓના ભાવના આધારે, કંપની રૂ.૪૯.૪૭ કરોડ ની માર્કેટ કેપ નિહાળી રહી છે.

આર્થિક દેખાવ

આર્થિક દેખાવને મોરચે, છેલ્લા બે નાણાકીય વર્ષમાં , આ કંપનીએ ટર્નઓવર / ચોખ્ખો નફો રૂ. ૨૮.૩૮ કરોડ / રૂ. ૦.૧૦ કરોડ (ના. વ. ૨૧), અને રૂ. ૩૭.૧૦ કરોડ / રૂ. ૦.૩૫ કરોડ (ના. વ. ૨૨) નોંધાવેલ છે. ના. વ. ૨૩ ના બે બ્રોકર સમયગાળા માટે, તેણે ટર્નઓવર/ચોખ્ખો નફો રૂ.૨૫.૪૭ કરોડ / રૂ. ૦.૨૯ કરોડ (૦૧.૦૪.૨૨ થી ૧૬.૧૦.૨૨ સુધી) અને રૂ. ૩૩.૧૫ કરોડ /રૂ. ૦.૯૪ કરોડ (૧૭.૧૦.૨૨ થી ૩૧.૦૩.૨૩ સુધી) કર્યો છે. . આમના. વ. ૨૩ ના સંયુક્ત સમયગાળા માટે, તેણે રૂ. ૫૮.૬૧ કરોડના ટર્નઓવર પર રૂ.૧.૨૩ કરોડનો ચોખ્ખો નફો મેળવ્યો છે.

છેલ્લાત્રણ નાણાકીય વર્ષમાં આ કંપનીની સરેરાશ ઈપીએસ રૂ.૧.૨૮ અને સરેરાશ આરઓએનડબલ્યુ ૭.૬૭ % છે. ઇશ્યૂની કિંમત તા.૩૧ માર્ચ, ૨૦૨૩ ના રોજ તેના એનએવી રૂ.૧૯.૯૨ ના આધારે ૧.૪૧ ના પી/બીવીથી આવે છે. અને આઈ પી ઓ પછીના એન એ વી રૂ. ૨૩.૪૪ પ્રતિશેરના આધારે ૧.૧૯ ના પી/બીવીથી આવે છે.

જો આપણે નાણાકીય વર્ષ ૨૩ ની કમાણીને આઈ પી ઓ પછીની સંપૂર્ણ પાતળી પેઇડ-અપ ઇક્વિટી મૂડીનેઆધારે ગણીએ, તો માગવામાં આવેલ કિંમત ૪૦ ના પી/ઈ પર આવે છે, આમ ઇશ્યુ નજીકના ગાળાની હકારાત્મકતા ડિસ્કાઉન્ટ કરી આક્રમક કિંમતવાળો દેખાય છે.

ડિવિડન્ડ પોલિસીઃ

કંપનીએ તેની સ્થાપનાથી કોઈ ડિવિડન્ડ જાહેર કર્યું નથી. તે તેની નાણાકીય કામગીરી અને ભાવિ સંભાવનાઓના આધારે લિસ્ટિંગ પછી યોગ્ય ડિવિડન્ડ નીતિ અપનાવશે.

લીસ્ટેડ સમાન કંપનીઓ સાથે સરખામણી

ઓફર ડોક્યુમેન્ટ મુજબ, કંપનીએ ચંદ્ર ભગત ફાર્માને તેમના લિસ્ટેડ પીઅર તરીકે દર્શાવ્યા છે. તે ૧૧૦.૮૩ ના પી/ઈ પર ટ્રેડ થઈ રહ્યો છે (૨૪ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ). જો કે, તેઓ ખરેખર ચૂસ્તરીતે તુલનાત્મક નથી.

મર્ચંટ બેંકરનો ટ્રેક રેકર્ડ

છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં (ચાલુ એક સહિત) યુનિસ્ટોન કેપિટલ તરફથી આ ૧૧મો આદેશ છે. છેલ્લી ૧૦ લિસ્ટિંગમાંથી, લિસ્ટિંગની તારીખે ૧ ડિસ્કાઉન્ટ પર અને બાકીની ૧૦% થી ૨૭૦.૪૦% સુધીના પ્રીમિયમ સાથે ખુલેલ છે.

નિષ્કર્ષ / રોકાણ વ્યૂહરચના

કંપની ઘણી મોટી ફાર્મા કંપનીઓ માટે ડિસ્ટ્રિબ્યુટર છે અને નોંધાયેલા સમયગાળા માટે સારી કામગીરી કરી રહી છે. ના. વ. ૨૩ની કમાણીના આધારે, ઇશ્યૂની કિંમત આક્રમક લાગે છે. સારી રીતે જાણકાર રોકાણકારો મધ્યમથી લાંબા ગાળાના વળતર માટે રોકાણ કરી શકે છે.

Review Author

DISCLAIMER: No financial information whatsoever published anywhere here should be construed as an offer to buy or sell securities, or as advice to do so in any way whatsoever. All matter published here is purely for educational and information purposes only and under no circumstances should be used for making investment decisions. Readers must consult a qualified financial advisor before making any actual investment decisions, based on information published here. With entry barriers, SEBI wants only well-informed investors to participate in such offers. With crazy listings in the past, SME IPOs drew the attention of investors across the board. However, as SME issues have entry barriers and continued low preference from the broking community, any reader taking decisions based on any information published here does so entirely at own risk. The above information is based on information available as on date coupled with market perceptions. The Author has no plans to invest in this offer.

(SEBI registered Research Analyst-Mumbai).

About Dilip Davda

Dilip Davda is veteran journalist associated with stock market since 1978. He is contributing to print and electronic media on stock markets/insurance/finance since 1985.

Dilip Davda is a leading reviewer of public issues and NCDs in the primary stock market in India. The knowledge he gained over 3 decades while working in the stock market and a strong relationship with popular lead managers makes his reviews unique. His detail fundamental and financial analysis of companies coming up with IPO helps investors in the primary stock market. Dilip Davda has a special interest in analyzing the SME companies and writing reviews about their public issues. His reviews are regularly published online and in news papers.

Email: dilip_davda@rediffmail.com

Courtesy:  https://www.chittorgarh.com/